કાયદાકીય જાગૃતિ દ્વારા માનવ અધિકારોના સંવર્ધન તરફ એક પગલું

કાયદાકીય જાગૃતિ દ્વારા માનવ અધિકારોના સંવર્ધન તરફ એક પગલું

માનવ અધિકારો માત્ર બંધારણ કે કાયદાના પુસ્તકો સુધી સીમિત રહે, પરંતુ સામાન્ય નાગરિક પોતાના અધિકારો, કાયદાકીય ઉપાયો અને જવાબદારીઓથી પરિચિત બને તે આજના સમયમાં અત્યંત જરૂરી છે. ઉદ્દેશને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં કાયદાકીય જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

અભિયાન અંતર્ગત તા. ૦૬/૦૮/૨૦૨૬ના રોજ .એમ.પી. ગવર્નમેન્ટ લૉ કોલેજ, રાજકોટ ખાતે એક જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં માનવ અધિકારો અને વર્તમાન સમયમાં નાગરિકોના જીવનને સીધી અસર કરતા વિવિધ કાયદાકીય વિષયો પર વિદ્યાર્થીઓ દ્વારા માહિતીસભર રજૂઆતો કરવામાં આવી હતી. ખાસ કરીને સાયબર ક્રાઇમ અંગેની જાગૃતિ, મહેસૂલી કાયદો, માહિતીનો અધિકાર અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ના સંદર્ભમાં અદાલતી પ્રક્રિયા જેવા વિષયો રજૂ કરવામાં આવ્યા હતા.

ડિજિટલ ટેક્નોલોજીના વધતા ઉપયોગ સાથે સાયબર ગુનાઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આવા સંજોગોમાં વ્યક્તિએ પોતાની વ્યક્તિગત માહિતી, ડિજિટલ ઓળખ અને નાણાકીય વ્યવહારોની સુરક્ષા કેવી રીતે જાળવવી તે અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેવી રીતે, મહેસૂલી કાયદા અંગેની રજૂઆત દ્વારા જમીન તથા મહેસૂલી બાબતો સાથે જોડાયેલા કાયદાકીય પાસાઓ સમજાવવામાં આવ્યા હતા.

માહિતીનો અધિકાર અધિનિયમ અંગેની ચર્ચાએ પારદર્શિતા અને જવાબદારીના લોકશાહી મૂલ્યોને ઉજાગર કર્યા હતા. નાગરિક પોતાના અધિકારોનો યોગ્ય ઉપયોગ કરીને શાસન વ્યવસ્થામાં જવાબદારી અને પારદર્શિતા કેવી રીતે વધારી શકે તે અંગે પણ સમજ આપવામાં આવી હતી. સાથે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ના સંદર્ભમાં અદાલતી પ્રક્રિયાની સમજ આપતી રજૂઆત દ્વારા કોર્ટરૂમની કામગીરી અને ન્યાય મેળવવાની પ્રક્રિયાને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમની સાથે તે દિવસે એચ. બી. કોટક સ્કૂલ, રાજકોટ ખાતે પણ વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓને તેમની ઉંમર અને સમજણને અનુરૂપ સરળ ભાષામાં કાયદો, અધિકારો અને સાયબર સુરક્ષા જેવા વિષયો અંગે માહિતી આપવામાં આવી હતી. કાયદાકીય બાબતોને સરળ ઉદાહરણો સાથે સમજાવવાના પ્રયાસને કારણે શાળાના વિદ્યાર્થીઓમાં પણ કાયદા અને પોતાના અધિકારો અંગે જિજ્ઞાસા તથા જાગૃતિમાં વધારો થયો હતો.

એક દિવસમાં બે અલગ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લઈને કાયદાના અભ્યાસ સાથે સમાજોપયોગી કાર્યને જોડવાનો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલો પ્રયાસ વિશેષ નોંધપાત્ર રહ્યો હતો. કાયદાની શૈક્ષણિક સમજણને વ્યવહારિક જીવન સાથે સાંકળીને વિદ્યાર્થીઓએ એક તરફ પોતાના જ્ઞાનને વધુ મજબૂત બનાવ્યું, તો બીજી તરફ સમાજના વિવિધ વયજૂથના લોકો સુધી ઉપયોગી કાયદાકીય માહિતી પહોંચાડવાનું કાર્ય પણ કર્યું. પ્રકારની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં સંવાદકૌશલ્ય, કાયદાકીય જાગૃતિ અને સામાજિક જવાબદારી જેવા ગુણોના વિકાસમાં પણ સહાયક બને છે.

કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં માત્ર કાયદાકીય જ્ઞાન વધારવાનો નહીં, પરંતુ તેમને સમાજમાં કાયદાકીય જાગૃતિના સંદેશવાહક તરીકે તૈયાર કરવાનો પણ હતો. વર્ગખંડમાં પ્રાપ્ત થતું જ્ઞાન જ્યારે સમાજ સુધી પહોંચે છે ત્યારે તેનું વાસ્તવિક સામાજિક મૂલ્ય ઊભું થાય છે. વિચાર સાથે ભવનના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સંસ્થાઓ સુધી પહોંચી કાયદા અને માનવ અધિકારો અંગે સંવાદ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે.

સમગ્ર પ્રવૃત્તિ માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનના અધ્યક્ષશ્રી ડૉ. ભગીરથસિંહ માંજરિયાના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહી છે. ભવનના અધ્યાપક ડૉ. સાગરભાઈ અમીપરા દ્વારા પણ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન કાયદાકીય શિક્ષણને સમાજ સાથે જોડવાનું કાર્ય કરી રહ્યું છે. નાગરિક પોતાના અધિકારોને ઓળખે, કાયદાની સમજ મેળવે અને જવાબદાર નાગરિક તરીકે પોતાની ભૂમિકા નિભાવે તે દિશામાં જનજાગૃતિ કાર્યક્રમો એક મહત્વપૂર્ણ પ્રયાસ બની રહ્યા છે.

 

 


Published by: Department of Human Rights and International Humanitarian Laws

06-08-2026