ચારણી સાહિત્ય વિષયક સેમિનાર યોજાયો
દિલ્હી સાહિત્ય અકાદમી અને ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના સંયુક્ત ઉપક્રમે તા.૦૬/૦૨/૨૦૨૧ના રોજ ‘ચારણી સાહિત્ય’ વિષય પર સેમીનારનું આયોજન થયું હતું. જેમાં ચારણી સાહિત્ય અને તેના સ્વરૂપ વિશે વિગતે ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.