ઉમાશંકર જોશીની જન્મજયંતી નિમિત્તે વ્યાખ્યાન યોજવામાં આવ્યું
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના સંયુક્ત ઉપક્રમે કવિ શ્રી ઉમાશંકર જોશીની 114 ની જન્મજયંતી નિમિત્તે તા.૨૧/૦૭/૨૦૨૫ના રોજ ‘સર્વત્ર ઉમાશંકર’ શીર્ષક અન્વયે ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનમાં વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં ડૉ.પ્રશાંત પટેલે મુખ્ય વક્તા તરીકે ઉમાશંકર જોશીના જીવન તથા તેમના સાહિત્ય સર્જન વિશે વિદ્યાર્થીઓને વ્યાખ્યાન આપી માહિતગાર કર્યા હતા. વ્યાખ્યાન બાદ વિદ્યાર્થીઓએ કવિશ્રી ઉમાશંકરની કવિતાઓ તેમજ વાર્તાસર્જન વિશે સ્વૈચ્છિક પ્રસ્તુતિ કરી હતી.જ